Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્નકૂટ મહોત્સવ અને મહાઆરતીનો લાભ લઈ ભક્તો થયા ધન્યઃ
'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળ પર આવેલ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરે ગઈકાલે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાટ પટમાં ભગવાન સમક્ષ વિવિધ મિષ્ટાન પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ મહોત્સવ નિમિત્તે મહાઆરતી પણ કરવામાં આવી હતી. 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ગૂંજ વચ્ચે મહાઆરતીમાં ભક્તો ભાવવિભોર થયા હતાં. હજારો ભક્તોએ અન્નકૂટ ઉત્સવના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના હોદ્દેદારો તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા પરિશ્રમ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial