Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લામાં વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી. વરસાદ અને સતત પાણી ભરાવવાના કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડા પડી ગયા હતાં તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત) દ્વારા તાત્કાલિક પગલાં ભરીને સમારકામની કામગીરી શરુ કરવામાં આવી છે. કાલાવડ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા નાની વાવડીથી સ્ટેટ હઈવે રોડ પર ૪ કિ.મી.ના રસ્તા પર ડામર અને પેચવર્કનું કાર્ય કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અડચણ ન થાય તેમજ અકસ્માતોનો ભય ન રહે તે માટે ચોમાસા દરમિયાન હક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh