Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં રાજપૂત સમાજના સ્નેહમિલન સાથે રાજ્યમંત્રી રિવાબા જાડેજાનું સન્માનઃ રેલી

રાજપૂત સમાજના માધાંતાઓની ઉપસ્થિતિઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૮: નૂતન વર્ષના સંદર્ભમાં ખંભાળીયામાં રાજપૂત સમાજ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગરના ધારાસભ્ય તથા રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાનું આગમન થયું હતું.

ખંભાળીયામાં જામનગર રોડ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રિવાબાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વિશાળ સંખ્યામાં શણગારેલી જીપ્સી જીપમાં રિવાબા જામનગર રોડથી રાજપૂત સમાજ સુધી પહોંચ્યા હતા. જેમની સાથે વિશાળ સંખ્યામાં મોટર કાર, જીપ, બાઈકો સાથે રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ જોડાયા હતા.

ખંભાળીયાના મૂળ ભાતેલના પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, દ્વારકા તથા જામનગર જિલ્લાના રાજપૂત સમાજ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, ખંભાળીયા રાજપૂત સમાજ પ્રમુખ નટુભા ભીખુભા જાડેજા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh