Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ બાતમીના આધારે એસઓજી દ્વારા દબોચાયોઃ
જામનગર તા. ૨૨: જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા નાર્કોટીક્સ એક્ટ હેઠળના એક ગુન્હામાં સંડોવાયેલા મુંબઈના શખ્સને ખીજડીયા બાયપાસ પાસેથી એસઓજીએ દબોચી લીધો છે.
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ઝડપાયેલા આરોપીએ મહારાષ્ટ્રના મુંબઈના દતુવાડી વિસ્તારમાં રહેતા સાહીદ સુલેમાન શેખાણી નામના શખ્સની સંડોવણી ખૂલી હતી.
ત્યારથી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. આ આરોપી એક ખાનગી વાહનમાં જામનગર તેના સસરાના ઘેર આવી રહ્યો છે. તેવી બાતમી એસઓજીના ફિરોઝ ખફી, રમેશ ચાવડા, તોસીફ તાયાણી, હર્ષદભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે ખીજડીયા બાયપાસ પાસે વોચ રાખી હતી. જેમાં સાહીદ સુલેમાન ઝડપાઈ ગયો છે. તેનો કબજો પંચકોશી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial