Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની ખાનગી કંપની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ

પક્ષીના ખોરાકનો નબળી ગુણવતાનો માલ ધાબડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં હલકી કક્ષાનો પક્ષી માટેનો ખોરાક સપ્લાય કરીને તેમજ ખોટા વેરીફિકેશન કરીને વિશ્વાસઘાત-છેતરપિંડી કરવા અંગે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર જિલ્લાની ખાનગી કંપનીમાં આરોપી મેરામણ ચંદ્રાવડીયા છેલ્લા બે વર્ષથી કંપનીના વેન્ડર્સને જીનોનીસ કંપનીમાં પણ વેન્ડર કોડ ખોલાવીને ઓછો માલ સામાન તથા ખરાબ માલ સામાન મેળવી જીનોનીસ કંપની સાથે મળી નબળી કવોલિટીનો ખાદ્ય પદાર્થ એટલે કે પક્ષીના દાણા, ફ્રૂટ, શાકભાજી, પાંદડા અંગેના ખોટા વેરીફિકેશન કરી પોતાનો આર્થિક લાભ મેળવવા માટે કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ અંગે કંપનીના અધિકારી અતુલભાઈ અનંતરાય રાજાણીએ આરોપી મેરામણ ચંદ્રાવડીયા અને જીનોનીસ કંપનીના કર્મચારી વગેરે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની તપાસ પોલીસ સબ ઈન્સ. પી.ટી. જયસ્વાલ ચલાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh