Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પડી ગયા પછી નગરના પ્રૌઢ પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૭: જામનગરના સાંઢીયા પુલ પાસે રહેતા એક પ્રૌઢ શનિવારે કોઈ રીતે પડી ગયા પછી મોતને શરણ થયા છે. છૂટાછેડા પછી એકલવાયું જીવન જીવતા અને નશો કરવાની આદત ધરાવતા આ પ્રૌઢના મૃત્યુ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે કાલાવડના બામણમાં કોઈ રીતે કૂવામાં ખાબકી ગયેલા વૃદ્ધનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ થયું છે.
જામનગરના ગોકુલનગર નજીક નજીકના સાંઢીયા પુલ પાસે રહેતા મનસુખભાઈ લાખાભાઈ રાઠોડ નામના ૫૫ વર્ષના પ્રૌઢના પાંચેક વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા. તે પછી આ પ્રૌઢ એકલવયુ જીવન જીવતા હતા અને દારૂનો નશો કરવા આદત ધરાવતા હતા.
તેઓ શનિવારે બપોરે તેમના ઘર પાસે કોઈ રીતે પડી જતા બેભાન થઈ ગયા હતા. સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. રામેશ્વરનગરમાં નંદન પાર્કમાં રહેતા જીતેશભાઈ દેશુરભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના બામણ ગામમાં વસવાટ કરતા માધાભાઈ નાગજીભાઈ મારકણા નામના ૧૦૦ વર્ષના વૃદ્ધ શનિવારે સાંજે પોતાના ખેતરે હતા ત્યારે કોઈ રીતે કૂવામાં પડી જતા ડૂબવા માંડ્યા હતા. ત્યાં હાજર લોકોને તેની જાણ થતા માધાભાઈને બહાર કાઢી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ પડતું પાણી પીવાથી બેશુદ્ધ બની ગયેલા આ વૃદ્ધનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. તેમના પુત્ર ગિરધરભાઈ મારકણાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial