Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાલિકા દ્વારા બે જર્જરિત મકાન તોડી પડાયા

રપ જર્જરિત ઈમારતના આસામીઓને નોટીસઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા પાલિકા દ્વારા સૂરજ મંદિર તથા સલાયા નાકા પાસે બે જર્જરિત મકાનો તોડી પડાયા છે, જ્યારે અન્ય રપ આસામીઓને નોટીસ ફટકારાઈ છે.

ખંભાળિયા શહેરમાં પાલિકા દ્વારા જુના જર્જરિત મકાનો પાડી નાખવા તથા જર્જરિત ભાગ દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે ખંભાળિયામાં સૂરજ મંદિર શેરી તથા સલાયા નાકા પાસે એમ બે સ્થળે જર્જરિત મકાનોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુરના માર્ગદર્શનમાં ઈજનેર એન.આર. નંદાણિયા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. જેસીબી મશીન તથા દોરડાથી બાંધીને જર્જરિત ભાગો તોડવામાં આવ્યા હતાં તથા આ તૂટેલા કાટમાળનો તુરત જ નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઈજનેર નંદાણિયાએ જણાવેલ કે શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનો અંગે સર્વે કરીને રપ આસામીઓને તોડી પાડવા નોટીસો આપવામાં આવી છે. અન્યથા તેમના ખર્ચે પાલિકા દૂર કરશે, જો કે ગઈકાલે બે મકાનો તોડી પાડવામાં માલિકો પણ કાર્યવાહીમાં જોડાયા હતાં.

ખંભાળિયામાં અગાઉ પાંચ હાટડી ચોક, તેનાથી આગળ, લોહાણા જુની મહાજનવાડી વિસ્તાર વિગેરે સ્થળે મકાનો જર્જરિત હોય, તોડી પાડવાની કાર્યવાહી થઈ હતી. તેમાં પણ બાકીના ભાગો તથા રસ્તામાં નડતર કે ભયજનક થાય તેવા ભાગોને દૂર કરવા પણ કાર્યવાહી કરાઈ છે.

ખંભાળિયા પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી દ્વારા શહેરીજનોને તેમના વિસ્તારના જર્જરિત કે ભયજનક મકાનો હોય તો પાલિકાને જાણ કરવા અપીલ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh