Advertisement
Author: નોબત સમાચાર

લાપીનોઝ રેસ્ટોરન્ટમાં પીઝામાં મરેલ મચ્છર નીકળતા રેસ્ટો. બંધ કરાવાયું

ગ્રાહકે ફરિયાદ કરતા ફૂડ શાખા દોડી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના એક પીઝા સેન્ટરમાં પીઝા ખાવા ગયેલા ગ્રાહકને પીઝામાં મચ્છર નીકળતા ફૂડ વિભાગમાં કરાયેલ ફરિયાદ પછી આજે રેસ્ટોરન્ટ બંધ કરાવી જરૂરી સૂચના આપવામાં આવી હતી. જામનગરના રણજીતસાગર માર્ગે, શાલીગ્રામ હોસ્પિટલ પાસે આવેલ લાપીનોઝ રેસ્ટોરન્ટમાં ગત્ રાત્રે એક ગ્રાહક પીઝા ખાવા ગયા હતાં, ત્યારે પીઝામાં મરેલ મચ્છર જોવા મળ્યું હતું. આથી ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કર્યા પછી જામનગર મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી. આથી આજે શાખાનો સ્ટાફ તપાસ માટે દોડી ગયો હતો, અને રસોડાની હાઈજૈનિક કન્ડીશન જાળવવા, જીવાતનો ઉપદ્રવ રહે નહીં તે માટે પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા સહિતની સૂચના આપવામાં આવી હતી અને જ્યાં સુધી આ તમામ કામગીરી પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી રેસ્ટરોન્ટ બંધ કરાવી દેવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh