Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ગ્રીન ખંભાળીયા અભિયાનમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું

સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: ખંભાળીયામાં કેટલાક સેવાભાવીઓ દ્વારા ખંભાળીયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ માટે ગ્રીન ખંભાળીયા અભિયાન ચલાવાયું હતું. આ વૃક્ષોના જતન-ઉછેરની જવાબદારી રાજકોટના સદ્ભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે.

આ અભિયાનમાં સહયોગ આપનારા અંદાજે ૩૦૦ જેટલા દાતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ સાંસદ પૂનમબેન માડમ તેમજ સોનલધામ (મઢડા)ના ગિરીશ આપાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ તથા ગિરીશ આપાએ ગ્રીન ખંભાળીયા અભિયાનની પ્રશંસા કરી હતી. ડો. અમીત નકુમ, ડો. જીતેન્દ્ર કણઝારીયા, ડો. જાદવ, કેળવણીકાર પ્રજ્ઞાબેન વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ અભિયાનને સરળ બનાવવા ડો. પડીયા, પત્રકાર પરબતભાઈ ગઢવી, દીપકભાઈ સોની, પરેશભાઈ મહેતા, કિરીટભાઈ મજીઠીયા, કિશોરભાઈ ભાયાણી, દિવ્યેશભાઈ મોદી, શૈલેષભાઈ, ધીરેનભાઈ બદીયાણી, ડો. રિદ્ધિશા પડીયા, ડો. સાગર ભૂત, નિમિશાબેન નકુમ, નિકીતાબેન મજીઠીયા, વીરાભાઈ ભાદરકા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh