Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૩: જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ પરિવારનું સ્નેહમિલન અને સત્યનારાયણની કથા યોજાઈ હતી.
સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે જામનગર શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના પરિવાર માટે સ્નેહમિલન તથા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં બ્રહ્મસમાજના વિવિધ પેટાજ્ઞાતિ તથા સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. આ સ્નેહમિલનના કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ માટે કરવામાં આવતા સેવાકીય કાર્યો તેમજ આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કેતનભાઈ ભટ્ટ, જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સિમિતભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર, મહેશભાઈ રાવલ, રાજેશભાઈ ઠાકર, વિમલભાઈ મહેતા, સમીરભાઈ જોષી, પ્રણવભાઈ રાવલ, મનીષાબેન જોષી, અર્ચનાબેન જોષી, ધરતીબેન વ્યાસ, હિનાબેન ઠાકર, વિદ્યા મહેતા, રક્ષાબેન ભટ્ટ, નીતાબેન મહેતા, જાહ્નવીબેન શુક્લ, જ્યેષ્ઠાબેન જોષી, બીનાબેન દવે, જિજ્ઞાબેન વ્યાસ, દેવેન્દ્રભાઈ શુકલ, જામ્બાલી રાવલ, કેતન જોષી, કપિલ રાવલ, બીપીનભાઈ દવે, નિરવ મહેતા, રાજુભાઈ વ્યાસ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial