Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં નેત્ર નિદાન કેમ્પ : ૧૪૧ લાભાન્વીત

કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૧૭: ભાટીયાના સરકારી દવાખાનામાં તાજેતરમાં નેત્ર નિદાનનો ૧૧૯મો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના આર્થિક સહયોગથી આયોજિત આ કેમ્પમાં રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટની હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કુલ ૧૪૧ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા ૪૨ દર્દીઓને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. જ્યાં સારવાર, આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા આપવામાં આવ્યા હતા.

કેમ્પનું સંચાલન કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ કર્યું હતું. કેમ્પમાં ભાટીયાના ડાડુભાઈ, દેવેન લાલ, જીવનભાઈ, સાગર ઝાલા, સરદારજી, નારણભાઈ કરંગીયા વગેરેએ સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh