Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: જામનગરના ઈન્દ્રદીપ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા એક વૃદ્ધ શુક્રવારે અવાચક બની જતા આડોશી પાડોશીઓએ તેઓને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના વાલી વારસની શોધ હાથ ધરી છે.
જામનગરના વિકાસગૃહ રોડ પર આવેલી ઈન્દ્રદીપ સોસાયટીની વીંગ નં.ડીમાં ૩ નંબરના બ્લોકમાં રહેતા મહેશભાઈ મુળશંકરભાઈ ભટ્ટ નામના ૬૯ વર્ષના વૃદ્ધ શુક્રવારે સાંજે પોતાના બ્લોકમાં હતા. આ વેળાએ તેઓ અવાચક થઈ જતાં આડોશી પાડોશીઓએ આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તેમના વાલી વારસોની શોધ હાથ ધરી છે. પોલીસે બ્લોક નં.૬૩માં રહેતા હસિત પોપટનું નિવેદન નોંધ્યું છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ જમાદાર જે.કે. વજગોર-૯૬૨૪૭ ૩૭૬૦૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial