Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે રિક્ષા પણ આપી દીધી હોવા છતાં કનડગતઃ
જામનગર તા. ૨૪: જામનગરના લાલવાડી પાસેના આવાસમાં રહેતા એક રિક્ષા ચાલકે રૂ.૫૦ હજાર ૩૦ ટકાના વ્યાજે લીધા પછી રૂ.૭પ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરે બે રિક્ષા પડાવી લીધા પછી પણ ઉઘરાણી કરતા પોલીસમાં તેની સામે ફરિયાદ કરાઈ છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર સામેના જૂના આવાસમાં વસવાટ કરતા અને રિક્ષા ડ્રાઈવીંગનું કામ કરતા હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા નામના યુવાને ચારેક વર્ષ પહેલાં પૈસાની જરૂર પડતા ગુલાબનગર નજીક રિલાયન્સ પેટ્રોલપંપ નજીક ઢાળીયા પાસે રહેતા અખ્તર રફીકભાઈ ખીરા પાસેથી રૂ.૫૦ હજાર હાથઉછીના લીધા હતા.
આ રકમ પર દર મહિને ૩૦ ટકા લેખે રૂ.૧૫ હજાર વ્યાજ ભરવાનું નક્કી કરાયું હતું. તે મુજબ પાંચ હપ્તામાં હુસેનભાઈએ રૂ.૭૫ હજાર ચૂકવી આપ્યા હતા. તેમ છતાં અખ્તરે પૈસાની ઉઘરાણી કરતા હુસેનભાઈએ પોતાની બે રિક્ષા તેને આપી દીધી હતી. તે પછી પણ વ્યાજની ઉઘરાણી કરાતા આખરે હુસેનભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અખ્તર રફીક ખીરા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial