Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પ્રાથમિક અંદાજો મુજબ માવઠાથી ખેતીપાકને રૂ. પ૦૦૦ કરોડનું જંગી નુક્સાન

મુખ્યમંત્રીએ બેઠક યોજી કરી સમીક્ષાઃ ૧૬ હજાર ગામોના ર૪૯ તાલુકાના ૧૦ લાખ હેક્ટર માઠી અસરઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. પઃ ગુજરાતમાં મવઠાના કારણે પ્રાથમિક અંદાજો મુજબ પ૦૦૦ કરોડના પાકને નુક્સાન થયું છે. સરકારે બેઠક યોજી નુક્સાનીના અંદાજોની સમીક્ષા કરી હતી. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા વરસાદને કારણે ઓછામાં ઓછા ૧૦ લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે, જે ર૪૯ તાલુકાના ૧૬,૦૦૦ ગામોને અસર કરે છે.

રાજ્ય સરકારના ચાલુ મૂલ્યાંકનના પ્રારંભિક અંદાજ મુજબ તાજેતરના કમોસમી વરસાદથી પાકને પ,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુક્સાન થયું છે. મંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પાકને થયેલા નુક્સાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર લખીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમની માગ કરી હતી અને ખેડૂતો માટે નાણાકીય સહાયની વિનંતી કરી હતી. આ પહેલા ર૯ ઓક્ટોબરના પટેલે ખેડૂતોને થયેલા નુક્સાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો જેથી રાહત પેકેજની જાહેરાત કરી શકાય. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૪,૮૦૦ થી વધુ ટીમો યુદ્ધના ધોરણે સર્વેક્ષણ કરી રહી છે.

જો કે, સર્વે હજુ ચાલુ છે, પરંતુ પ્રારંભિક સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા વરસાદને કારણે ઓછામાં ઓછા ૧૦ લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે, જે ર૪૯ તાલુકાના ૧૬,૦૦૦ ગામોને અસરકરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓએ છેલ્લા દિવસોમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રીએ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના બે ગામોની મુલાકાત લીધી હતી, જેથી તાજેતરના કમોસમી વરસાદથી પાકને થયેલા નુક્સાનને ધ્યાનમાં રાખીને જમીની પરિસ્થિતિ સમજી શકાય. કોડીનાર તાલુકાના કડવાસણની તેમની મુલાકાત દરમિયાન પટેલે ખેતરોમાં ચાલીને ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદથી નાશ પામેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્યો અને મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે ખેડૂતોની ફરિયાદો સાંભળી અને તેમને ખાતરી આપી કે તેમની સરકાર યોગ્યા પગલાં લેશે. મંત્રીઓએ ભાવનગર, તાપી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાઓની પણ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ ગઈકાલે ગાંધીનગરમાં આ બાબતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યમંત્રી કૃષિ રમેશ કટારા, મુખ્ય સચિવ એમ.કે. દાસ અને મહેસુલ, કૃષિ, નાણા વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ હાજર રહ્યા હતાં. રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અંદાજ મુજબ પ,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પાકને નુક્સાન થયું છે, અને વાસ્તવિક આંકડો વધુ હોઈ શકે છે. રાજ્ય સરકાર રાજ્ય આપત્તિ રાહત ભંડોળ અને વધારાના બજેટ સંસાધનો દ્વારા વળતર આપશે. તેમણે ભારત સરકારને પણ પત્ર લખીને ખાસ નાણાકીય સહાયની વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh