Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧: કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (દિગુભા જાડેજા) ની પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો પદગ્રહણ સમારોહ ગાંધીનગર મેઈન રોડ પર આવેલા વિશ્વકર્મા વાડીમાં યોજવામાં આવ્યો હતો. જામનગર શહેરની સમસ્યાઓ, વિકાસ મુદ્દાઓ માટે મજબૂત લડતના સંકલ્પ સાથે દિગુભા જાડેજાએ શહેર જિલ્લાના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો હતો.
આ સમારોહમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદા, વિરોધપક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઈ ખફી, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, મહામંત્રી ભરતસિંહ વાળા ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ શહેર જિલ્લાના કોંગી આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓની હાજરીમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાનો પદભાર સંભાળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial