Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વસઈમાં આવેલી આસામીની ખેતીની જમીન સરખા નામના કારણે બોગસ દસ્તાવેજથી વેચાઈ ગઈ!

જામનગરના બે સહિત ચાર સામે નોંધાવાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં અગાઉ વસવાટ કરતા અને હાલમાં ઈંગ્લેન્ડ રહેવા ચાલ્યા ગયેલા એક આસામીની વસઈ ગામમાં આવેલી ખેતીની જમીન તેમના જેવા જ નામવાળા વ્યક્તિની ઓળખ આપી અન્ય એક આસામીને બોગસ દસ્તાવેજથી વેચી નાખવામાં આવતા જામનગર દોડી આવેલા મૂળ માલિકે તપાસ કરતા તેમની જમીન વેચાઈ ગઈ હોવાનું ખૂલ્યું હતું. આ આસામીએ પોતાના જેવા જ નામવાળા મુંબઈના ભીવંડીના એક શખ્સ સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા જામનગર તાલુકાના વસઈ ગામમાં હાલમાં ઈંગ્લેન્ડમાં વસવાટ કરતા અને વર્ષાે પહેલાં જામનગરની જયંત સોસાયટી નજીક વિજયનગરમાં રહેતા અમિતભાઈ દામજીભાઈ શાહ નામના વેપારીએ ખેતીની જમીન ખરીદ કરી હતી. ત્યારપછી અમીતભાઈ અને તેમનો પરિવાર ઈંગ્લેન્ડ (યુનાઈટેડ કીંગ્ડમ) રહેવા જતા રહ્યા હતા.

ત્યારપછી  ગયા ફેબ્રુઆરી મહિનામાં વસઈ ગામમાં આવેલી તેમની ખેતીની જમીનનો દસ્તાવેજ બની ગયો હતો. તેની જાણ થતાં ચોંકી ગયેલા અમિતભાઈ શાહે જામનગર આવી તપાસ શરૂ કરી હતી. જેમાં તેઓને ગઈ તા.૧૧-૨-૨૫ના દિને બનાવટી દસ્તાવેજ સબ રજીસ્ટ્રાક કચેરીમાં રજૂ થયાની અને આ દસ્તાવેજ ૧૬૮૧/૨૦૨૫થી નોંધાઈ પણ ગયો હોવાની જાણકારી મળી હતી.

આ આસામીએ વધુ તપાસ કરતા જામનગરના ભગવાનજી હંસરાજભાઈ ગોરી નામના આસામીએ આ દસ્તાવેજ પોતાની પાસે રાખ્યો હોવાનંુ પણ જણાઈ આવ્યું હતું અને મહારાષ્ટ્રના મુંબઈમાં ચારકોપ બસ ડેપો સામે સેક્ટર નં.પમાં અર્ચના કો.હા.સોસાયટીમાં રહેતા તેમના જ જેવા નામધારી અમિત દામજીભાઈ શાહના નામે ઉપરોક્ત દસ્તાવેજ બની ગયો હોવાનું જણાયું હતું.

ત્યારપછી વધુ વિગતો મેળવવામાં આવતા આ દસ્તાવેજમાં જામનગરના હિરજી મીસ્ત્રી રોડ પર શિવમ્ ટેનામેન્ટમાં વસવાટ કરતા નવીન રામજી ગોરી અને મહારાષ્ટ્રના થાણેના ભીવંડીમાં અક્ષય પાર્કમાં રહેતા યોગેશ કેશવજી શાહ નામના શખ્સે તે દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરી હોવાનું પણ ખૂલ્યું હતું. જમીનના ખરા માલિક અમિતભાઈ શાહે રેવન્યુ કચેરીમાં તપાસ કરાવતા ઉપરોક્ત દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમાં ભગવાનજી ગોરીનું તે જમીનમાં નામ ચઢી ગયાનું પણ ખૂલતા આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ બાબતની ગઈકાલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જમીનના મૂળ માલિક અમિતભાઈ શાહે ફરિયાદ નોંધાવતા પોલીસે ભગવાનજી હંસરાજભાઈ ગોરી, યોગેશ કેશવજી શાહ, નવીન રામજી ગોરી તથા મુંબઈમાં રહેતા તેમના જેવા જ નામધારી અમિત દામજી શાહ સામે બીએનએસની કલમ ૩૩૬ (ર) (૩), ૩૩૮, ૩૩૯, ૩૪૦ (ર), ૨૪૨, ૬૧ (ર) (એ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh