Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના બાલંભામાં શ્રમિક પરિવાર હતપ્રભઃ
જામનગર તા. ૨૬: જોડિયાના બાલંભામાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ દાહોદના શ્રમિક પરિવારની પોણા સોળ વર્ષની પુત્રીએ પોતાના રહેણાંકમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવતીનું માનસિક સંતુલન યોગ્ય ન હોવાનું અને તેના કારણે પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા અમૃતલાલ ચૌહાણ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામના નરેશભાઈ કીડીયાભાઈ મીનામા નામના શ્રમિકે તે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યા પછી પોતાના પરિવારને પણ ત્યાં બોલાવ્યો હતો.
તેઓની સાથે પુત્રી મેઘનાબેન (ઉ.વ.૧૫) પણ આવ્યા હતા. આ તરૂણીનું માનસિક સંતુલન યોગ્ય ન હતું. અવારનવાર ગાંડા જેવું વર્તન કરતી આ તરૂણીને ધ્રુજારી પણ આવી જતી હતી. આ તરૂણીએ ગઈકાલે સવારે તે ખેતરમાં બનાવેલા મકાનના ઉપરના ભાગમાં જઈ લોખંડના એંગલમાં પોતાનો દુપટ્ટો બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પિતા નરેશભાઈએ તેણીને નીચે ઉતારી સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે મેઘનાબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જોડિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial