Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના 'ખાડા' પૂરો કાર્યક્રમના પગલે
જામનગર તા. ૧રઃ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોંગી આગેવાનો, કાર્યકરો દ્વારા સમગ્ર શહેરના માર્ગો પર ખાડા પડી ગયા હોય, અને મહાનગરપાલિકા તંત્ર, ભજપના શાસકો આ પ્રશ્ને સાવ નિષ્ક્રિય રહ્યા હોય, દિગુભા જાડેજાએ તેમના જન્મ દિવસે તંતરને જગાડવા ખાડા પૂરો અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો. આ અનોખા વિરોધ પ્રદર્શનની મનપા તંત્ર અને શાસકો ઉપર ધારી અસર થતા તાબડતોબ ગુરૂ.દ્વારાથી સાત રસ્તા સુધીના ફ્લાય ઓવરની નીચેના માર્ગ પર પેચવર્ક-ડામરવર્ક કરી દેવામાં આવ્યું છે.
આ તકે જૂનાગઢથી દિગુભા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તંત્રએ નવરાત્રિ-દિવાળીના તહેવારોને ધ્યાને લઈને શહેરના તમામ માર્ગો પરના ખાડા પૂરી, પેચવર્ક કે ડામ વર્ક કરવાની તાતિ જરૂ.ર છે. જો તંત્ર દ્વારા આ પ્રશ્ને યુદ્ધના ધોરણે કાર્યવાહી નહીં થાય તો જામનગરની જનતાને સાથે રાખીને ગાંધીગીરી સાથે શાંત વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial