Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રેડક્રોસ દ્વારા સીપીઆર તાલીમ

વર્લ્ડ હાર્ટ-ડેની ઉજવણી અંતર્ગત આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: હૃદયના સ્વાસ્થ્ય માટે લોકોને જાગૃત કરવા ૨૯ સપ્ટેમ્બરને વિશ્વભરમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે મનાવવામાં આવે છે, તે અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખા દ્વારા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જામનગર શાખામાં સેનેટરી ઈન્સ.ના કોર્ષમાં સીપીઆર એટલે કે હૃદય, ફેફસાને પુનઃજીવિત કરવાની જે પ્રક્રિયા છે તેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સીપીઆર ટ્રેનર આનંદભાઈ દવે મારફત આપવામાં આવી હતી. આ તકે ઈન્સ.ના કેતનભાઈ સોલંકી, ડો. રિદ્ધિ સાંધાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ રેડક્રોસ, જામનગર શાખાના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્સન દીપાબેન સોની, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર, ટ્રેઝરર કિરીટભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh