Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૬: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-ર૦રપ ની ઉજવણી માટેની થીમ આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ, અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જોડિયા દ્વારા શ્રી હુન્નર કન્યા શાળામાં આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો ૧૪૫ જેટલા લોકોએ લાભ લીધો હતો તથા પોષણ માસ-ર૦રપ અને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આયુર્વેદ વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા તબીબ દ્વારા ૨૪૫ જેટલી કિશોરીઓને આયુર્વેદ અને જીવનશૈલી તેમજ સ્ત્રીરોગો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, શાળાના ટ્રસ્ટીઓ અશોક વર્મા, દાતા સંજયભાઈ તન્ના, ગામના આગેવાનો તેમજ વૈદ્ય આનંદ ડી. જયસ્વાલ, ફોરમબેન એસ. પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial