Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જંતુનાશક દવા પીનાર યુવકનું સારવારમાં મૃત્યુ

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૮: જામનગરના એક યુવાન ચારેક દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયા પછી ગઈકાલે ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેમના સંબંધીનું નિવેદન નોંધી પોલીસે  તપાસ હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા સત્યસાંઈ નગરમાં રહેતા આકાશભાઈ કરસનભાઈ ખાણદર નામના ૩૧ વર્ષના યુવાન ગયા શનિવારે પોતાના ઘરેથી કંઈ જ ક્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા.

તેઓની કરવામાં આવેલી શોધખોળ દરમિયાન ગઈકાલે આ યુવાન ખીજડીયા બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા સમરસ હોસ્ટેલ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ યુવાને કોઈ ઝેરી દવા પી લીધી હોવાનું જણાઈ આવતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. બિંદીયાબેન સુરેશભાઈ રાઠોડએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh