Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નળ સે જલ'નો ફિયાસ્કોઃ લોકોના આરોગ્ય સાથે ચેડાં
જામનગર તા. ર૩: જામનગરની સત્યમ્ કોલોની, શિવમ્ સોસાયટીમાં વિતરણ થતા પાણીમાં ગટરના ગંદા પાણી વિતરણ થતા હોવાથી રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે.
આ મુદ્દે રોષે ભરાયેલા સ્થાનિક મહિલાઓએ ગઈ સાંજે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આખરે પોલીસ અને કોર્પોરેટર દોડી ગયા હતાં અને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
શહેરના સત્યમ્ કોલોની, શિવમ્ સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નળ મારફત વિતરણ થતા પાણીમાં ગટરના મિશ્રીત પાણી વિતરણ થતા હોવાથી સ્થાનિક ભાઈ-બહેનો દ્વારા મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ દાદ નહીં આપતા રોષે ભરાયેલા મહિલાઓએ ગઈ સાંજે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આથી થોડીવાર માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
આખરે પોલીસ કાફલો અને સ્થાનિક કોર્પોરેટર ગોપાલ સોરઠિયા દોડી ગયા હતાં અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. ભાજપના કોર્પોરેટર ગોપાલ સોરઠિયાએ ગટરના ગંદા પાણીનો પ્રશ્ન સાચો હોવાનું સ્વીકાર્યું છે અને દસ કરોડના ખર્ચે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું. આંદોલનકારી મહિલાઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક મહિલા કોર્પોરેટરને ફરિયાદ કરતા પોતાના ઘરે પણ ગટરના મિશ્રીત પાણી આવતા હોવાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial