Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-નાગેશ્વર જ્યોતિર્લિંગ પરથી વહેતા પાણીના કારણે દર્શનાર્થીઓને પરેશાની

વ્યાપક વરસાદને લીધે ઠેર-ઠેર પાણીભરાવઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. રરઃ દ્વારકા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વ્યાપક વરસાદને લીધે તાલુકામાં ઠેર ઠેર વ્યાપક પાણીભરાવ અને તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાથી ૧૬ કિ.મી.દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ હોય, બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ દરરોજ દેવાધિદેવના દર્શને જતા હોય, આ રસ્તામાં ગ્રામીણ પંથકના નિચાણવાળા વિસ્તારોમાં મુખ્ય રસ્તા પર જ વરસાદી પાણી ફરી વળ્યું હોય, દર્શનાર્થીઓ પોતાના જોખમથી પગે ચાલીને તેમજ પાણીમાં વાહન ચલાવી દર્શને જાય છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે નાગેશ્વર જતા મુખ્ય રસ્તા ઉપરાંત દ્વારકા શહેર તથા પંથકના નિચાણવાળા રસ્તા પર પાણી ભરાવથી જનજીવનને વ્યાપક અસર પહોંચી છે અને સમયસર પાણીના નિકાલને અભાવે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh