Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિધનસભા વિપક્ષના નેતા, સૌરાષ્ટ્રના પ્રભારી તથા સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં
ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ-રીતિ તેમજ સરકારના ગેરવહીવટ અંગે પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન અને આદેશ અનુસાર જામનગરમાં શહેર/જિલ્લા કોંગ્રેસ દ્વારા વિશાળ જનઆક્રોશ જનસભા યોજવામાં આવી હતી. આ જનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, સૌરાષ્ટ્ર પ્રભારી મંત્રી ભૂપેન્દ્રભાઈ મારવી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને ગુજરાત સરકારની નિષ્ફળતાઓ, ગેરવહીવટ તેમજ ખેડૂતોને અન્યાય કરવાની નીતિ-રીતિ અંગે આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતાં. આ જનસભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ સ્વાગત પ્રવચન કરી જનસભાના આયોજન અંગે રૂપરેખા રજૂ કરી હતી. આ જનસભામાં પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, જામનગર મહાનગરપાલિકા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, પ્રદેશ પ્રતિનિધિ સહારાબેન મકવાણા, વરિષ્ઠ નેતા ભીખુભાઈ વારોતરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથરિયા, કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ, કોંગ્રેસના કાર્યકર ભાઈઓ-બહેનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીરઃ પરેશ ફલીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial