Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પ્રકારની 'લેટેસ્ટ' ટેકનોલોજીની ડિઝાઈન અપાઈ છે? કન્સલ્ટન્ટની ભૂલ છે કે બાંધકામ સમયે કોન્ટ્રાક્ટરે કરેલી ભૂલને છાવરવામાં આવી રહી છે?
જામનગર તા. પઃ જામનગર શહેરમાં છેલ્લા સાડાચાર વર્ષથી ચાલી રહેલા ફ્લાય ઓવરના નિર્માણનું કામ હવે લગભગ પૂર્ણતાના આરે છે, જે બાકીનું કામ છે તેને પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, કારણ કે સંભવતઃ ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મોદી સાહેબના હસ્તે તેનું લોકાર્પણ કરી શકાય...
પણ... રૂપિયા સવાબસ્સો કરોડના ખર્ચે બની રહેલા આ અતિ મહત્ત્વના ફ્લાય ઓવરના નિર્માણમાં કેટલીક ક્ષતિઓ કહેવાય તેવી સ્થિતિ પણ જોવા મળે છે.!
કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કોઈપણ નાના-મોટા બિલ્ડીંગનું કે અન્ય બાંધકામ હોય તો ત્યાં વર્ષોથી પાણીના પાઈપ તેમજ ઈલેક્ટ્રીકના કેબલ દીવાલની અંદર અર્થાત્ કન્સીલ્ડ હોય તેવી રીતે બાંધકામ થાય છે, જેથી બહારના ભાગમાં આવા પાઈપ કે કેબલ દેખાય નહીં, તેમજ તૂટ-ભાંગના કે અકસ્માતના કિસ્સા ઓછા બને.
આપણા આ ફ્લાય ઓવરમાં જે લાઈટો મૂકવામાં આવી છે, તેના પાવર સપ્લાય માટેના ઈલેક્ટ્રીક કેબલ (કેસરી રંગના) કન્સીલ્ડ કરાયા નથી, પણ સમગ્ર ફ્લાય ઓવરમાં આ ઈલેક્ટ્રીફિકેશન બહાર રહે તેમ કેબલ ફીટ કરવામાં આવ્યા છે. ફ્લાય ઓવરની દીવાલો તથા પીલરોમાં બે-ચાર 'ચાપડા' વડે તેને ફીટ કરી દેવાયા છે તેથી ગમે ત્યારે કેબલ લટકતા રહે કે તૂટી જાય તેવી શક્યતા રહે છે.
આ ફ્લાય ઓવરના કામના કોન્ટ્રાક્ટરને શું આ પ્રકારે બહાર કેબલ ફીટ કરવાની ડિઝાઈન આપવામાં આવી છે? ગુજરાતમાં છેલ્લા આઠ-દસ વર્ષમાં રાજકોટ, સુરત, અમદાવાદ વિગેરે મહાનગરોમાં અનેક ફ્લાય ઓવર બન્યા છે, ત્યાં જાણવા મળતી વિગતો/ફોટા પ્રમાણે પાઈપ/કેબલ કન્સીલ્ડ કરવામાં આવ્યા છે, તો પછી જામનગરના આ ફ્લાય ઓવરમાં બહાર કેબલની 'લેઈટેસ્ટ' ટેકનોલોજીનો આઈડિયા કોનો છે? અથવા ડિઝાઈન તૈયાર કરનાર કન્સલ્ટન્ટની ભૂલ છે? કે પછી કોન્ટ્રાક્ટર કન્સીલ્ડ કામ માટે કેબલ નાંખવાની જગ્યા બાંધકામ વખતે ભૂલી ગયો છે?
આ ફ્લાય ઓવરના કામમાં હજી અન્ય પણ કેટલીક કામગીરી બાકી જ છે, તે તંત્રના કે કોન્ટ્રાક્ટરના ધ્યાનમાં આવે તો સારૃં... બાકી તો દરરોજ રોજકામ કરનારા મનપાના ઈજનેરોની પણ જવાબદારી છે અને તેની ઉપર ઉચ્ચ અધિકારીઓની અંતિમ જવાબદારી હોવાથી આ ફ્લાયઓવરનું કામ સંતોષકારક રીતે, ટેન્ડરના સ્પેશીફિકેશન મુજબ પૂર્ણ થયું હોવાનું કમ્પ્લીશન સર્ટિફિકેટ ઈસ્યુ થાય પછી જ તેનું લોકાર્પણ શક્ય બનશે.
જોઈએ, આપણું મનપા તંત્ર કેવી તકેદારી રાખે છે.!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial