Advertisement
Author: નોબત સમાચાર

સામાજિક સુરક્ષા કવરેજને પ્રોત્સાહન માટે 'સ્પ્રી ૨૦૨૫' યોજનાનો આરંભ

કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કામદાર રાજ્ય વીમા નિગમ દ્વારા 'સ્પ્રી ૨૦૨૫' (સ્કીમ ફોર પ્રમોશન ઓફ રજિસ્ટ્રેશન ઓફ એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોઈંગ) ની જાહેરાત કરવામાં આવી છે. જે તારીખ ૧લી જુલાઈથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આ યોજના એક વિશેષ પહેલ છે, જેનો ઉદૃેશ્ય છે વધુમાં વધુ નોન-રજિસ્ટર્ડ નોકરીદાતાઓ અને કર્મચારીઓને ઈએસઆઈસી હેઠળ લાવવાનો છે. આ યોજના હેઠળ નોકરીદાતા પોતાનું યુનિટ અને કર્મચારીઓને ઈએસઆઈસી પોર્ટલ, શ્રમ સુવિધા પોર્ટલ અથવા એમસીએ પોર્ટલ દ્વારા ડિજિટલી રજિસ્ટર કરી શકે છે. રજિસ્ટ્રેશનની તારીખથી જ કવરેજ લાગુ થશે. અગાઉના સમયગાળાની કોઈ દાવા અથવા દંડ લાગુ નહીં થાય. કોઈ ઈન્સ્પેક્શન નહીં થાય અને પાછલા સમયગાળાની કોઈ દાવાની માંગ નહીં કરવામાં આવે. કર્મચારઓ માટે લાભોઃ મેડિકલ કાળજી, રોકડ લાભો (બીમારી, માતૃત્વ, દુર્ઘટના) અને લાંબા ગાળાની સુરક્ષા ઈએસઆઈસી હેઠળ ઉપલબ્ધ થશે.

આ યોજના નોકરીદાતાઓ માટે એક અનોખી તક છે, જેથી તેઓ વિના ભય અને વિના દંડના પોતાના કર્મચારીઓને રજિસ્ટર કરી શકે અને સામાજિક સુરક્ષા સુવિધાઓનો લાભ આપી શકે. વધુ વિગત માટે ઉઉઉ.ઈજીૈંઝ્ર.ય્ર્ંફ.ૈંદ્ગ પર જાણકારી મળી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh