Advertisement
Author: નોબત સમાચાર

ખેતરમાં જમીન પર નિદ્રાધીન તરૂણીને સર્પદંશઃ મૃત્યુ નિપજતા પરિવાર સ્તબ્ધ

અવાચક બની ગયેલા યુવાનનું સારવારમાં મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામજોધપુરના સીદસરમાં એક ખેતરમાં જમીન પર ગુરૂવારની રાત્રે નિદ્રાધીન થયેલી તરૂણીને સર્પ કરડી જતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અવાચક બની ગયેલા ખંભાળિયાના ઉગમણાબારાના ખેડૂતનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં અમિતભાઈ જયસુખભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની જગનસિંગ હારૂભાઈ બંદેડીયા નામના આદિવાસી શ્રમિકે તે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યંુ હતું.

આ શ્રમિક સાથે તેમના પત્ની સંગીતાબેન તથા પુત્રી કવિતાબેન (ઉ.વ.૧૬) પણ આવ્યા હતા. તે દરમિયાન ગુરૂવારની રાત્રે કવિતાબેન વાળુ કર્યા પછી તે ખેતરમાં જમીન પર નિદ્રાધીન થયા હતા. આ તરૂણીને સવાર સુધીમાં કોઈ ઝેરી સર્પ કરડી જતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. માતા સંગીતાબેને પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા નજીકના સલાયા પાસે ઉગમણાબારા ગામમાં રહેતા કાળુભા પ્રભાતસિંહ વાઘેલા (ઉ.વ.૩૬) નામના ખેડૂતે ગઈ તા.૪થી બોલવાનું અને ભોજન લેવાનું બંધ કરી દીધુ હતું. સારવારમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું ભરતસિંહ પ્રભાતસિંહ વાઘેલાએ જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh