Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯૮૨માં નામ ચઢ્યા પછી કરાઈ વિલંબ માફની અરજીઃ
જામનગર તા. ૧૫: લાલપુરના પડાણા ગામમાં એક મહાજન આસામીની આવેલી જમીનમાં વર્ષ ૧૯૮૨માં વારસદારોના નામ દાખલ કરાવાયા હતા. જેમાં જે તે વખતે આ આસામીના ભત્રીજાનું નામ પણ ચઢી ગયું હતું. તે નામ કમી કરાવવા પ્રાંત અધિકારી કોર્ટમાં વિલંબ માફની અરજી સાથે અપીલ કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં હેમરાજ પુંજા નામના આસામીની ખેતીની જમીન આવેલી હતી. તેઓનું વર્ષ ૧૯૮૨માં નિધન થતાં વારસાઈ અંગેની નોંધ કરાવવામાં આવી હતી. આ વેળાએ તેમના પુત્રી સગીર વયના હતા. હેમરાજ પુજાના વારસદાર તરીકે પત્ની ગંગાબેન, પુત્રી જીવીબેન, મચ્છાબેન સીધીલીટીના વારસદારો હતા પરંતુ તે સમયે વારસાઈ નોંધ કરવામાં આવી ત્યારે આ નામોની સાથે હેમરાજ પુંજાના ભત્રીજા કાંતિલાલનું પણ નામ દાખલ કરવામાં આવ્યું હતું.
તે વારસાઈ નોંધ પ્રમાણિત થઈ હતી. ત્યારપછી ગંગાબેનનું પણ અવસાન થતાં અને પુત્રી મચ્છાબેન ભારત પરત આવતા તેઓએ માતાનું નામ કમી કરાવવા ૭/૧ર વગેરેની નકલ મેળવતા તેમાં કાંતિલાલનું નામ જોવા મળ્યું હતું. તેથી મચ્છાબેને લાલપુરના પ્રાંત અધિકારીની કોર્ટમાં વિલંબ માફની અરજી સાથે અપીલ નોંધાવી છે. મચ્છાબેન ઉર્ફે મંછાબેન હેમરાજ હરણીયા તરફથી વકીલ હેમલ ચોટાઈ, હીરેન ગુઢકા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial