Advertisement
Author: નોબત સમાચાર

ફીશરીઝ વિભાગ પાસેથી ખોટી રીતે લાયસન્સ મેળવવાના ગુન્હામાં આગોતરા

કેટલાક બોટ માલિકો સામે નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના કેટલાક માછીમારી બોટના માલિકો સામે થોડા સમય પહેલાં પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૭, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આરોપી પૈકીના એક આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં ૩૦ માછીમારી બોટના માલિકોએ જૂની ફીશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફિકેટ ન હોય તેવી ફીશીંગ બોટ અને એન્જીનના નવી ખરીદેલી બોટના ખોટા બીલ મંગાવી જૂની બોટમાં સુધારા વધારા દર્શાવી ફીશરીઝ વિભગાની વેબસાઈટ પરથી બોટના લાયસન્સ મેળવ્યાનો ગુન્હો નોંધાયો હતો.

આ બાબતની શરૂ થયેલી તપાસમાં ઈકબાલ દાઉદ હુંદડા સહિતના આરોપીઓના નામ ખૂલ્યા હતા. પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. તે દરમિયાન ઈકબાલ હુંદડાએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. અદાલતે તેના વકીલ મોહસીન ગોરીની દલીલોને ગ્રાહ્ય રાખી આ આરોપીને આગોતરા જામીન આપવાનો હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh