Advertisement
Author: નોબત સમાચાર

પાંચ લાખના ચોવીસ લાખ મેળવ્યા પછી પણ વ્યાજ મુદ્દલની માગણીા કેસમાં આગોતરા જામીન મંજૂર

ફરસાણના વેપારીએ પોલીસમાં કરી છે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૪: જામનગરના ફરસાણના એક વેપારીએ વ્યાજ વટાવ અંગે એક શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કર્યા પછી પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ કરી હતી. આ આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

જામનગરના રામેશ્વરનગરમાં રહેતા સુમિત મહેશભાઈ પારવાણી નામના આસામીએ રૂ.પ લાખ ચાર ટકાના વ્યાજે વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા પાસેથી મેળવ્યા પછી ૨૦ મહીનામાં રૂ.૪ લાખ વ્યાજ પેટે જમા કરાવ્યા હતા. તે ઉપરાંત વિજયસિંહ તેની દુકાનેથી જથ્થાબંધ સામાન પણ લઈ જતા હતા.

તે પછી સુમિતની આર્થિક પરિસ્થિતિ કથળતા તેઓ વ્યાજ આપી શકતા ન હતા તેથી તેઓએ વ્યાજ અને દુકાનેથી લઈ જવાયેલા માલસામાન અંગે હિસાબ કરાવતા તેઓએ પંદરેક લાખ ચૂકવી દીધાનો હિસાબ વિજયસિંહને આપતા વિજયસિંહે ત્રાસ આપી ચેક પડાવી લીધા હતા અને ચેક રિટર્ન કરાવી તેની નોટીસ આપી હતી. તે ઉપરાંત દુકાને અને ઘરે આવી તકરાર કરી રૂ.૨૪ લાખની માગણી કરતા હતા તેથી સુમિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી દહેશતથી વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજાએ અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી અન્વયે બંને પક્ષ દ્વારા કરાયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી પક્ષના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh