Advertisement
Author: નોબત સમાચાર

સતાપરના યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ કર્યું વિષપાનઃ સારવારમાં મૃત્યુ

ત્રણેક વર્ષથી બીમારીનો ભોગ બન્યા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામજોધપુરના સતાપર ગામમાં રહેતા એક યુવાન માનસિક બીમારીનો ભોગ બન્યા પછી ત્રણેક વર્ષથી સારવાર લેતા હતા. આ યુવાને પોતાની બીમારીથી કંટાળી જઈ સપ્તાહ પૂર્વે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા અમીતભાઈ કરશનભાઈ નકુમ નામના તેતાલીસ વર્ષના કારડીયા રાજપૂત યુવાન ત્રણેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.

આ યુવાનને તેમના પરિવાર દ્વારા પોરબંદર હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવતી હતી. પોતાની બીમારીના કારણે સતત ખોટા વિચારો કર્યે રાખતા અમીતભાઈ કંટાળી ગયા હતા. તેઓએ ગઈ તા.ર૯ની સાંજે જસાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલા ખેતરમાં જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી.

સારવારમાં ખસેડવામાં આવેલા અમીતભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ અજયભાઈ નકુમે પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh