Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડી. સેન્ટ્રલ પ્રોવિડન્ડ ફંડ જામનગર કમિશ્નર (ગુજરાતી) ની ઉપસ્થિતિમાં
દ્વારકા તા. ૧૨: એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ડ ફંડ કમિશનર ગુજરાત સ્ટેટ, સુદીપ્તો ઘોષની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાવથ્રોન રિસોર્ટ, બરાડિયા રોડ, દેવભૂમિ દ્વારકામાં ઈપીએફઓ ઓફિસ તરફથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા સેમિનાર દરમ્યાન નવીલ ધુલકોટીયા (એકાઉન્ટ ઓફિસર) દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં પહેલીવાર નોકરી મેળવતા કર્મચારીને રૂ. ૧૫૦૦૦ સુધીની પ્રોત્સાહન રકમ બે હપ્તામાં આપવામાં આવશે. તથા સંસ્થાને દરેક કર્મચારી માટે રૂ. ૩૦૦૦ સુધીની માસિક આર્થિક પ્રોત્સાહન રકમ મળશે. નિર્માણ ક્ષેત્ર માટે આ પ્રોત્સાહન યોજના ૦૪ વર્ષ સુધી લાગુ રહેશે. જ્યારે અન્ય ક્ષેત્રોની સંસ્થાઓ માટે ૦૨ વર્ષ માટે લાગુ રહેશે. યોજના હેઠળ, ૫૦ થી ઓછા કર્મચારીઓ ધરાવતા એકમોએ ઓછામાં ઓછા ૦૨ કર્મચારીઓને નિમણૂક કરવી પડશે અને ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ પાંચ કે તેથી વધુ કર્મચારીઓની ભરતી કરવી પડશે. ઈપીએફઓ એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ગુજરાત સ્ટેટ સુદિપ્તો ઘોષ તથા રીજીઓનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (રાજકોટ) સમીરકુમાર દ્વારા આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવાની અપીલ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial