Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ સુપ્રસિદ્ધ પ્રાચીન શિવાલયોમાં શ્રાવણી સોમવારે ઘી ની મહાપૂજાના દર્શન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં શ્રાવણ માસના સોમવારે ભવ્ય દર્શન યોજાયા હતા.

ખંભાળીયાના ખામનાથ મહદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ મંદિરોમાં પ્રાચીન પ્રસંગ અને ઉપરથી સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી પર અવતરણ કરે છે તે ભવ્ય પ્રસંગ, ઘીની મહાપૂજાથી લાકડાના પૂતળા દ્વારા આબેહૂબ પ્રસ્તુત થયો હતો. જે દર્શનમાં તથા સાયં મહાઆરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખંભાળીયના રામનાથ મહાદેવ મંદિરે પણ વિશિષ્ટ ત્રણ શિવલિંગની ઘી ની મહાપૂજાના વિશેષ દર્શન યોજાયા હતા. ખંભાળીયામાં વિદ્યાશંકર મહાદેવ, ભીડભંજન મહાદેવ,, વિશ્વનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, ગ્રામ્ય વિસ્તારો, વિશ્વનાથ, ભરાણાના ધીંગેશ્વર, દાત્રાણાના દંતેશ્વર સલાયા પાસે નાગનાથ મહાદેવ, રામનગરમાં બાલનાથ મહાદેવ સહિત શિવમંદિરોમાં વિશેષ દર્શન તથા પૂજા યોજાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh