Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ૧૮ સપ્ટે. ને ગુરૂવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા નેત્ર-દંત અને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧૮-૯-૨૫ના સવારે ૯ થી ૧૨ શહેર ભાજપ કાર્યાલય, ત્રિશાલી પાંઉભાજીની બાજુમાં, તળાવની પાળના ઢાળીયા પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જામનગર ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારીના સહયોગથી આયોજીત આ કેમ્પનું સંકલન વી.વી.ત્રિવેદી ચેરી ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી કરશે.

મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં-ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો.રશેશ ઓઝા, ડો.નિરાલી દવે ઓઝા સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh