Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો દ્વારા આયોજીત શ્રાવણી મેળાના સ્થળ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત શ્રાવણી મેળામાં ફાળવણી કરતા વધારે જગ્યામાં રાઈડ્સ ખડકી દેવાઈ હોવાના મીડિયાના અહેવાલ પછી મહાનગરપાલિકાએ આવી રાઈડ્સ સીલ કરી હતી, જ્યારે સવાલ એવો ઊભો થાય છે કે, રાઈડ્સ ફિટીંગ સમયે મહાનગરપાલિકાનું તંત્ર ક્યાં સુતુ હતું.?
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રાવણ મેળાનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ મેળાનું આયોજન કર્યું છે અને રવિવાર, તા. ૧૦ થી મેળો શરૂ થનાર હતો, પરંતુ કોર્ટમેટર હોવાથી તેનો ચૂકાદો આજે આવનાર હતો. પરિણામે તા. ૧૦ ના મળો શરૂ થઈ શક્યો ન હતો.
બીજી તરફ મહાનગરપાલિકાની ટીમે તપાસણી કરતા જરૂર કરતા વધુ જગ્યા રાઈડ્સ સંચાલકોએ દબાવી હોવાનું જણાતા બે રાઈડ્સને સીલ મારવામાં આવ્યા હતાં. ઉપરાંત પાંચેક રેંકડીને પણ મેદાનમાંથી દૂર કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial