Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૪ નવેમ્બરથી બીએલઓ દ્વારા પ્રક્રિયા શરૂ
ખંભાળિયા તા. ૭: ખંભાળિયામાં પ્રાંત અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજી હતી.
ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરાયો છે, જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલનાર છે. આ સુધારણા કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં પ્રાંત અધિકારી તેમજ ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી કે.કે. કરમટાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમને મતદારયાદી સઘન સુધારણા અંગે માહિતી આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪-૧૧-૨૦૨૫ થી બુથ લેવલ ઓફિસર દ્વારા શરૂ થઈ છે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial