Advertisement
Author: નોબત સમાચાર

અનેક વિકાસ કામો અદ્ધરતાલઃ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? ગટરો છલકાઈ રહી છે

ખંભાળિયા શહેરઃ સમસ્યાઓનું શહેરઃ!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા કે જેની સી ગ્રેડની નગરપાલિકાને તાજેતરમાં લોટરી લાગી હોય તેમ સીસી એ ગ્રેડની ન.પા. થઈ ગઈ તથા કરોડોની ગ્રાન્ટો આવવા લાગી છે, પણ ગાંધીનગરના શહેરી વિકાસ ખાતાને જાણે ખંભાળિયામાં રસ ના હોય તેમ ૩પ કરોડ ઉપરાંતના ઓવરબ્રિજનું કામ ખંભાળિયા રોડ પરનું મંજુર થવાને એક વર્ષ છતાં તથા પ્રશ્નો રેલવે તંત્રના હલ થવાના મહિનાઓ છતાં પણ એક વર્ષથી મંજુર થવા છતાં શહેરી વિકાસ વિભાગમાં અટવાયું હોય તેમ જામનગર રોડ પર એક વર્ષથી ઓવરબ્રિજનું મંજુર કામ શરૂ થતું નથી, તો રીવરફ્રન્ટના ૪૦ કરોડના કામના ટેન્ડર જ બહાર પડ્યા નથી. ૭પ કરોડના અટકેલા શહેરી વિકાસના કામોમાં ૩૦ કરોડનું વધુ એક કામ અટવાયાનું બહાર આવ્યું છે.

પંદરેક વર્ષ પહેલા ભૂગર્ભ ગટર સમગ્ર રાજ્યની પાલિકાઓમાં કરવાનો વિચાર રાજ્ય સરકારને આવેલ તથા તે પછી એક સાથે અબજોના ભૂગર્ભ ગટરના કામો પણ થયા તેમાં મૂળ કંપનીએ પેટા કોન્ટ્રાક્ટરે અપાતા આજે પણ વર્ષો પછી અનેક ગામોની પાલિકાઓમાં કરોડો રૂપિયાના ભૂગર્ભ ગટરના કામો થવા પણ હજુ કાર્યરત થયા નથી. આવી જ સ્થિતિ ખંભાળિયાની છે.

પંદરેક વર્ષ પહેલા ખંભાળિયા શહેરના તમામ મુખ્ય વિસ્તારો ગલીઓમાં ૪ર કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર કરાઈ હતી તથા તેની નિભાવણી માટે કરોડોના મશીનો પણ ફાળવાયેલા પણ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર દરેક વોર્ડમાં ચાલુ થાય તે પછી આ યોજના સ્વીકારવાનું કહેતા વર્ષો સુધી આ યોજના પલ્લે ચડી હતી તથા આ ભર્ગર્ભ ગટર યોજના હજુ પણ ચાલુ ના હોય ૪ર કરોડના ખર્ચ ગટરમાં જેવી સ્થિતિ હોય, ખંભાળિયાના ધારાસભ્ય તથા તત્કાલિન રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત થતા તેમણે રાજ્ય સરકારમાંથી ખાસ ૩૦ કરોડ રૂપિયા આ ભર્ગર્ભ ગટરના કામને પૂર્ણ કરવા ફાળવાયેલા પણ એક વર્ષ છતાં હજુ તેનું ટેન્ડરીંગ પણ થયું નથી.

ગટરો ઉભરાય છે, ઢાંકણા તૂટી ગયા છે

ખંભાળિયા વિસ્તાર તથા નજીકના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ખોદાઈ ટાંકીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગઈ પણ ગટરના નિકાલ માટે કંઈ વ્યવસ્થા ના હોય અનેક શેરીઓમાં લોકોએ પોતાના ઘરની ખાળના કનેક્શન આવી ભૂગર્ભ ગટરની ટાંકીઓમાં દઈ દેતા રોજ અનેક સ્થળે ગટરોના ઢાંકણામાંથી ગંદા પાણી વહેતા થાય છે, તો ભૂગર્ભ ગટરની લાઈનોમાં અનેક લોકોએ જોડાણ કરતા તથા તેમાંથી નિકાલ ના થવાથી જ્યાં ઢાળ હોય તે બાજુ ગંદા પાણી વહે છે અને જ્યારે વધુ થાય ત્યારે ઉભરાય છે.

આ તમામ યોજના વ્યવસ્થિત કાર્યરત થાય તે માટે જ આ ૩૦ કરોડ ફાળવાયા છે, જેથી ૪ર કરોડનો અગાઉનો ખર્ચ સાર્થક થાય પણ આ કાર્ય શહેરી વિકાસમાં અટવાયું હોય, રોજ ગંદા પાણીની સમસ્યા અનેક સ્થળે થાય છે, જેમાં પાલિકાનું સફાઈ તંત્ર મશીનો લઈને રોજ નિકાલ માટે પ્રયાસો કરે છે, પણ કાયમી નિકાલની ખૂબ જરૂરત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh