Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડી પાસે ટ્રકના ઠાઠામાં રિક્ષા ટકરાઈ પડતા રાજકોટના મહિલાનું મૃત્યુઃ પતિ સહિત ચારને થઈ ઈજા

ખંભાળિયાના દાત્રાણા પાસે બે મોટર ટકરાઈ પડતા નગરના પ્રૌઢ ઘવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ઓખામંડળના સુરજકરાડી પાસે ગઈકાલે બપોરે બેટ દ્વારકાથી દ્વારકા તરફ જતી એક ઓટો રિક્ષા સામેની સાઈડમાં જવા માટે ઉભા રહેલા ટ્રકના ઠાઠામાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં રાજકોટના લોહાણા પરિવારના એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે તેમના પતિ, બે પુત્રી તથા રિક્ષાચાલક ઘવાયા છે. તે ઉપરાંત ખંભાળિયાના દાત્રાણા પાસે રવિવારે સાંજે બે મોટર ટકરાઈ પડતા એક મોટરના ચાલક સહિતના વ્યક્તિઓને ઈજા થઈ છે.

રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા પરેશભાઈ બિપીનભાઈ વડેરા (ઉ.વ.૩૫) નામના લોહાણા વેપારી તથા તેમના પત્ની ચાર્મીબેન (ઉ.વ.૩૩) અને પંદર વર્ષની પુત્રી મહેક તથા દસ વર્ષની પુત્રી માહી સાથે દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા.

આ પરિવાર દ્વારકાથી બેટ દ્વારકા ગયા પછી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે બેટ દ્વારકા પરત જવા માટે જીજે-૩૭-યુ ૩૪૯૧ નંબરની ઓટો રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષાના ચાલક વિજય કણઝારીયાએ રિક્ષા હંકારી મૂકી હતી. આ રિક્ષા જ્યારે મીઠાપુરથી ત્રણેક કિ.મી. દૂર સુરજકરાડી ગામ નજીક એક પેટ્રોલપંપ પાસે પહોંચી ત્યારે અંદાજે ચારેક વાગ્યે રિક્ષાના ચાલક વિજયે આગળ સાઈડમાં ઉભેલી જીજે-૧૦-એક્સ ૭૪૫૫ નંબરની ટ્રકના ઠાઠામાં રિક્ષા ટકરાવી દીધી હતી.

ઉપરોક્ત ટ્રક સામેની સાઈડમાં જવા માટે ઉભી રહી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવેલી રિક્ષા ટકરાતા પરેશભાઈ અને તેમના પરિવારની ચીસ નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં ચાર્મીબેનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પરેશભાઈ તેમજ તેમની પુત્રી મહેક, માહી અને રિક્ષા ડ્રાઈવર વિજયને નાની મોટી ઈજા થઈ હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા દવાખાને ખસેડવામાં આવ્યા છે. ઉપરોક્ત બનાવની મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગઈરાત્રે પરેશભાઈ વડેરાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિક્ષાના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રોયલ પુષ્પા પાર્કની શેરી નં.૩માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હરીશભાઈ વ્રજલાલ લાલાણી નામના આસામી રવિવારે સાંજે પોતાની જીજે-૧૦-ડીએ ૪૯૩૮ નંબરની આઈ-૨૦ મોટરમાં અન્ય વ્યક્તિઓ સાથે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા.

આ વેળાએ જીજે-૧૦-ટીવાય ૯૨૩૮ નંબરની અર્ટીગા મોટર ફૂલ સ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જતા હરીશભાઈ સહિતના વ્યક્તિઓને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. ખંભાળિયા પોલીસે અર્ટીગાના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh