Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુક્સાન થયું છે, જે અંગે અગ્રણીઓએ ખેડૂતોને તાકીદે વળતર/સહાય ચૂકવવા રજૂઆત કરી છે.
'આપ' જિલ્લા પ્રમુખ
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્ય સરકારે રૂા. ૧પ,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવા માગણી કરી છે. ખેડૂતોના ધિરાણ માફ કરવા તથા સર્વેના નાટક બંધ કરવા પણ તેમણે રજૂઆત કરી છે.
માજી મંત્રી મૂળુભાઈ બેરા
ગુજરાતના પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિતમાં તાકીદે નિર્ણય લઈ સમયસર યોગ્ય સહાય ચૂકવવા માગણી કરી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલ નુક્સાની સંદર્ભમાં તાકીદે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા તથા રાહત પેકેજ જાહેર કરવા માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial