Advertisement
Author: નોબત સમાચાર

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુક્સાનઃ વિવિધ અગ્રણીઓ દ્વારા તાકીદે વળતર/સહાય ચૂકવવા રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુક્સાન થયું છે, જે અંગે અગ્રણીઓએ ખેડૂતોને તાકીદે વળતર/સહાય ચૂકવવા રજૂઆત કરી છે.

'આપ' જિલ્લા પ્રમુખ

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્ય સરકારે રૂા. ૧પ,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવા માગણી કરી છે. ખેડૂતોના ધિરાણ માફ કરવા તથા સર્વેના નાટક બંધ કરવા પણ તેમણે રજૂઆત કરી છે.

માજી મંત્રી મૂળુભાઈ બેરા

ગુજરાતના પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિતમાં તાકીદે નિર્ણય લઈ સમયસર યોગ્ય સહાય ચૂકવવા માગણી કરી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલ નુક્સાની સંદર્ભમાં તાકીદે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા તથા રાહત પેકેજ જાહેર કરવા માગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh