Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સાતવડમાં ખેતર ફરતે કરાયેલી ફેન્સીંગમાંથી રખોપુ કરતા યુવાનને મળ્યું મોત

મૃતકના પિતાએ ખેડૂત સામે નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામજોધપુર તાલુકાના સાતવડ ગામની સીમમાં એક ખેડૂતે પોતાના ખેતર ફરતે શેઢામાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂકતા તે જ ખેતરમાં રખોપુ રાખવા જતાં મૂળ દાહોદના એક શ્રમિકનું વીજ આંચકો લાગવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ખેડૂત સામે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના સાતવડ ગામની સીમમાં જમનભાઈ બકોરી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા ગામના વતની રામસીંગ પાગડાભાઈ ભુરીયા નામના શ્રમિકનો પુત્ર મેહુલ ત્યાં જ આવેલા અશોકભાઈ બેચરભાઈ સંતોકી ઉર્ફે સીદા બાપા નામના ખેડૂતના ખેતરમાં રાત્રિના સમયે રખોપુ કરવા જતો હતો.

આ ખેતર ફરતે આવેલા શેઢામાં અશોકભાઈ સંતોકીએ વીજવાયર ગોઠવી તેમાં વીજળી વહેતી કરી હતી. તે વાયરને મંગળવારની રાત્રે સાડા નવેક વાગ્યા પછી કોઈ રીતે મેહુલ અડકી જતા તેને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો અને આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. તેના પિતા રામસીંગ ભુરીયાએ શેઢા ફરતે વાયર ગોઠવી વીજ પ્રવાહ ચાલુ રાખવાથી કોઈનું મૃત્યુ નિપજી શકે છે તેમ જાણવા છતાં અશોકભાઈ સંતોકીએ આ કૃત્ય કરતા તેઓના પુત્રનું મૃત્યુ થયાની ફરિયાદ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh