Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા રોડ પર આવેલી જમીન અંગે આખરી હુકમનામાની તજવીજ

પક્ષકારોને હાજર થવા સૂચનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના કનસુમરા રોડ પર આવેલી ખેતીની એક જમીન અંગે આખરી હુકમનામુ દોરી આપવા માટે અદાલતમાં તજવીજ કરાઈ છે.

જામનગરના કનસુમરા માર્ગ પર રડાર નજીક આવેલી રે.સ.નં.૧૩૫૮ વાળી ખેતીની જમીનમાં અલારખા હાજી શેખે પોતાનો વેચાયા વગરનો હિસ્સો જાહેર કરવા તથા કબજો મેળવવા ગુજરનાર શેખ હાજી ઓસમાણના વારસ, ગુજરનાર શેખ સુલતાન ઓસમાણના વારસ, ગુજરનાર યુસુફ ઓસમાણ શેખના વારસ સામે દાવો કર્યાે હતો. આ દાવામાં પ્રાથમિક હુકમનામુ થયા પછી જિલ્લા અદાલતે રેગ્યુલર સિવિલ અપીલ રદ્દ કરી રિસ્પોન્ડન્ટ તરફે પ્રાથમિક હુકમનામુ કાયમ કર્યું હતું. આ વ્યક્તિઓને આખરી હુકમનામા અંગે હાજર થવા આદેશ કરાયો છે. વાદી તરફથી વકીલ વાય.કે. કુરેશી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh