Advertisement
Author: નોબત સમાચાર

દાઢનો દુખાવો તથા માનસિક બીમારીથી ત્રસ્ત પરિણીતાના ઝેરના પારખાઃ મૃત્યુ

ઢાંઢર નદીના ડેમ પરથી ખાબકેલા યુવાન ડૂબી ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: લાલપુર તાલુકાના ધરમપુરમાં રહેતા એક પરિણીતાએ દાઢના દુખાવા તથા માનસિક બીમારીથી કંટાળી જઈને ત્રણ સપ્તાહ પૂર્વે પિયર જઈને જલદ પ્રવાહી પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરમાં ઢાંઢર નદીના ડેમની પાળ પરથી પગ લપસતા ડેમમાં ખાબકી ગયેલા યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતા સુધાબેન પરેશભાઈ ઉર્ફે પ્રદીપભાઈ કરમુર (ઉ.વ.૨૩) નામના પરિણીતાને દાઢમાં દુખાવો થતો હતો અને તેઓ માનસિક બીમારીથી પણ પીડાતા હતા.

આ મહિલાને સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન ગઈ તા.રરના દિને લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં પિયરે આવેલા સુધાબેને કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું પાલાભાઈ મેસુરભાઈ મારીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

લાલપુર શહેરમાં ધરારનગરમાં રહેતા વિજયભાઈ હરજીભાઈ ટીમાણીયા (ઉ.વ.૩ર) નામના યુવાન મંગળવારની રાત્રે ઢાંઢર નદી પરના ડેમની સામે આવેલી દુકાને જતા હતા ત્યારે કોઈ રીતે ડેમની પાળ પરથી તેમનો પગ લપસી જતાં વિજયભાઈ ડેમમાં ખાબકી ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયા નું જાહેર થયું છે. પોલીસે તેમના પત્ની શિલ્પાબેન વિજયભાઈનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh