Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર આરોપીની પોલીસે કરી હતી ધરપકડઃ
જામનગર તા. ૧૩: જામનગર તાલુકાના મુંગણી ગામમાં એક પ્રૌઢની થોડા સમય પહેલાં હત્યા થઈ હતી. તે ગુન્હામાં ચાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા પછી ચાર્જશીટ કર્યું હતું. આરોપી પૈકીના ત્રણ શખ્સે જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળે ત્રણ તોલાનો સોનાનો હાર મૂકી લોન લીધી હતી અને તે પછી એક પ્રેમસંબંધની જાણ થતાં તેઓએ પૈસા ચૂકવી હાર પાછો મેળવ્યો હતો જેમાંથી રૂ.૩૦ હજાર બાકી રાખવામાં આવ્યા હતા.
ત્યારપછી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ, જયવીરસિંહ ચંદુભા પીંગળ, અનિરૂદ્ધસિંહ ભરતસિંહ પીંગળ, મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નામના શખ્સોએ રાજેન્દ્રસિંહ રણુભા કેરના ઘરના ફળીયામાં પ્રવેશી છરી-ગુપ્તીથી હુમલો કરતા ગંભીર ઈજા પામેલા રાજેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની પોલીસમાં ફરિયાદ કરાતા સિક્કા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચાર્જશીટ રજૂ થયા પછી આરોપીમાંથી જયવીરસિંહ, અનિરૂદ્ધસિંહ, મનોજસિંહે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે ત્રણેય આરોપીને જામીન પર મુક્ત કર્યા છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી, મોહસીન ખારા, પ્રદીપ મકવાણા, સાઈદ રૃંઝા, જયોતિ પરમાર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial