Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજારોહણ, અન્નકુટ, શોભાયાત્રા, સમૂહપ્રસાદી અભિષેક પૂજા સહિત
શ્રી જલારામ સેવા સમિતિ દ્વારકા તેમજ સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા પૂજય શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી ભકિતભાવપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા શ્રી જલારામ મંદિરે સવારે અભિષેક પૂજા, ધ્વજારોહણ, બપોરે અન્નકુટ દર્શન, સાંજે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જલારામબાપાની શોભાયાત્રા ગુગ્ગુળી બ્રાહમણ બ્રહમપુરીથી પ્રસ્થાન કરી દ્વારકાના વિવિધ માર્ગો પર ફરી ભથાણ ચોકમાં સમાપન થયેલ. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશીઓ જોડાયા હતા. આ પ્રસંગે યોજાયેલા રકતદાન કેમ્પમાં મોટા પ્રમાણમાં રકતદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન કર્યું હતું. રઘુવંશી ભાઈ-બહેનો માટે ગુગ્ગુળી બ્રાહ્મણ બ્રહમપુરી નં. (૧)માં યોજાયેલા સમૂહ મહાપ્રસાદ (નાત)નો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે રઘુવંશી આગેવાનો તથા યુવાનોએ જહેમત ઉઠાવી હતી. દ્વારકાના જલારામ મંદિરે જલારામ બાપાના અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક ઉત્સવોમાં રઘુવંશી પરિવારો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial