Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રેલવે સ્ટેશનમાં હાલનો ફૂટ ઓવર બ્રિજ તોડીને નવો બનાવાશે

ડબલ ડેકર ટ્રેનોને ધ્યાને લઈને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના ફૂટ ઓવરબ્રિજના ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યાં નવો બ્રિજ બનાવવામાં આવનાર છે.

જામનગરના રેલવે સ્ટેશન પરિસરમાં હાલના ફૂટ ઓવર બ્રિજના સ્થાને ૧ર મીટર પહોળા નવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે.

રેલવેના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ વર્તમાન બ્રિજ ચાલીસ વર્ષ જુનો છે, અને તેની ઊંચાઈ માત્ર સામાન્ય ટ્રેન પસાર થઈ શકે તેટલી જ છે. હવે ડબલ ડેકર ટ્રેન પસાર થઈ શકે તેટલી ઊંચાઈનો બ્રિજ બનાવવાનું આયોજન છે.

અમૃત સ્ટેશન યોજના અન્વયે આશરે રૂ.  ૧૪ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવનાર છે. આમ હૈયાત ફૂટ ઓવરબ્રિજને તોડી પાડવાનું આયોજન થયું છે. તે હેતુથી રાજકોટ તરફનો આ બ્રિજ મુસાફરોના ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh