Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાયાના સ્તરે સારૃં શિક્ષણ-પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિક્તાઃ
જામનગર તા. ૬: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના રાવલસર ગામે નવનિર્મિત આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમને પાયાના સ્તરે સારૂ શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિક્તા છે. રાવલસર ગામનું આ નવું આંગણવાડી ભવન માત્ર ઈમારત નથી, પરંતુ તે ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેમને રમતા-રમતા શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.
આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ આ અદ્યતન સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર અને મંત્રીનો અભાર માન્યો હતો.
લોકાર્પણ પછી મંત્રીએ આંગણવાડી ભવનની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તેમજ અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ ભટ્ટી, આ વિસ્તારના સરપંચો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial