Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાનો ૯૯ ટકા ઘી ડેમ તેજ પવનના કારણે છલકાયોઃ વધામણાં કરાયા

ખંભાળીયાને આખું વર્ષ પીવાના પાણીની નિરાંત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળીયા વિસ્તારમાં અનોખું ગણાય છે. ૨૦૧૦ માં રાજ્યમાં સૌથી વધુ ૧૧૮ ઈંચ વરસાદ ખંભાળીયામાં નોંધાયો હતો. એક જ દિવસમાં રપ ઈંચ વરસાદ પડ્યો હતો, પણ કોઈ દુર્ઘટના  કે જાનહાનિ નહીં પણ આ વખતે હજુ ૧૯ ઈંચ જ વરસાદ પડ્યો છે. પણ ખંભાળીયા શહેર તથા નજીકના બાવીસ ગામોને પીવાનું પાણી પૂરૃં પાડતા ઘી ડેમમાં ૧૦ ઈંચ જેટલું અગાઉનું પાણી હોય, તથા ઉપરવાસના કોલવા, કંડોરણા, મહાદેવીયા ડેમ છલકાતા તેના પાણીથી ઘી ડેમ ૯૯% ભરાઈ જતા ઓવરફલોની પાળી ઉપર તેજ પવનથી મોજા સ્વરૂપે ગઈકાલે છલકાવા લાગ્યો હતો.

ઘી ડેમ ઓવરફલો થવાની જાણ થતા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, અગ્રણીઓ હસુભાઈ ધોળકીયા, મુકેશભાઈ કાનાણી, મોહિતભાઈ મોટાણી, અશોકભાઈ કાનાણી, વિગેરે આગેવાનો દ્વારા શાસ્ત્રોક્ત રીતે પંડિતજી પાસે નવા નીરની પૂજા કરીને ઘી ડેમના નવા નીરના વધામણા કર્યા હતાં.

ઘી ડેમ છલકાઈ જવાની સ્થિતિ થતા હવે એક વર્ષ માટે ખંભાળીયાને જળ સમસ્યા નહીં નડે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh