Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુમસુમ રહેતા યુવાન અનુભવતા હતા માનસિક તણાવઃ
જામનગર તા. ૨૧: જામનગરના સિદ્ધાર્થનગરમાં રહેતા એક યુવાને ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. છેલ્લા સવા વર્ષથી ગુમસુમ રહેતા અને માનસિક તાણ અનુભવતા આ યુવાને ઉપરોક્ત પગલું ભર્યાનું તેમના પરિવારજને પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગરની સિદ્ધાર્થ નગર સોસાયટીમાં એક રેસ્ટોરન્ટ નજીક વસવાટ કરતા શ્રૃતાંગ વિનોદભાઈ બથવાર (ઉ.વ.૧૯) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખામાં ચુંદડી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં તેમના પરિવારજનોએ શ્રૃતાંગને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અરવિંદભાઈ બેચરભાઈ બથવારે પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે.
જેમાં જણાવવામાં આવ્યા મુજબ શ્રૃતાંગભાઈ છેલ્લા સવા વર્ષથી ગુમસુમ રહેતા હતા અને બોલવા ચાલવાનંુ ઓછું રાખવા ઉપરાંત માનસિક તણાવ પણ અનુભવતા હતા. તેના કારણે આ યુવાને ગઈકાલે દિવાળીના દિવસે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial