Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણ માસમાં છોટી કાશી જામનગરમાં ઈંડા કરી, નોનવેજ, કતલખાના બંધ કરવા હિન્દુ સેનાની માંગ

                                                                                                                                                                                                      

જામનગર તા.૩૧: જામનગર એટલે કે અસંખ્ય મંદિરોનું શહેર કે જેને વર્ષોથી લોકો છોટીકાશી તરીકે ઓળખાવે છે. કોઈપણ એવો રસ્તો બાકી નહીં હોય કે ત્યાં મંદિર કે ધાર્મિક સ્થાન ન હોય, ત્યારે બહારથી ઘણાં બધા શ્રદ્ધાળુઓ છોટીકાશીમાં દર્શનાર્થે આવે છે. વિશ્વવિખ્યાત બાલા હનુમાન તેમજ શ્રી સિદ્ધનાથ મહાદેવ જેવા ધાર્મિક સ્થાન તો વિશ્વમાં પ્રચલિત છે. આમ છોટીકાશીમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર સાંજ પડતાની સાથે જ ઈંડાકરી નોનવેજ, કતલખાનાની દુકાનો, લારીઓના રાફડા ફાટી નીકળે છે. રાજકોટથી આવતા સમર્પણ સુધીના રસ્તાઓ જુઓ, બેડીથી માંડી લાલપુર બાયપાસ સુધીના રસ્તાઓ જુઓ. એટલું જ નહીં ધમધોકાર શહેરમાં વચ્ચે આવેલ બેડીનું નાકુ, સાત રસ્તા, શરૂ સેક્શન રોડ, સાધના કોલોની રોડ, અંબર ટોકીઝ રોડ, પટેલ કોલોની વગેરે અનેક સ્થાનો પર ઈંડાકરી, નોનવેજ, કતલખાનાની દુકાનો, લારીઓ ધમધમે છે. અગાઉ પણ જેએમસીમાં હિન્દુ સેના દ્વારા લેખિત માંગણી કરવામાં આવી હતી અને ફૂડ વિભાગ દ્વારા પણ તપાસ થાય. પરંતુ જેએમસી દ્વારા ઠોશ પરિણામ જાણવા મળેલ નહીં. ભૂતકાળ માં ઈંડા કરી, નોનવેજ, કતલખાનાની દુકાનો, લારીઓ પર આવારા તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે.   

જ્યારે સાત રસ્તા સર્કલ પાસે તો રાજપૂત સમાજના એક યુવાનની હત્યા પણ થઈ ગયેલ છે ત્યારે ખરેખર કહેવાતા છોટી કાશી શહેરમાં રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ઈંડાકરી, નોનવેજ, કતલખાનાની દુકાનો, લારીઓને દૂર કરવા જામનગરના કમિશનર દ્વારા ચોક્કસ દિશામાં યોગ્ય પગલા લેવાય તેવી હિન્દુ સેનાના વિભાગ પ્રમુખ અશોક સોલંકી દ્વારા માંગણી કરવામાં આવી છે.

અગાઉ હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ અને સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન દ્વારા યોગ્ય રજૂઆત સાથે પગલાં લેવા માંગણી મુખ્યમંત્રી  પાસે કરી હતી. તેમજ જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આવેલા પિંજારાવાસ પાસેના રોડ ઉપર તથા જકાતનાકા રોડ પર પણ જાગૃત નાગરિકો દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ આજ દિવસ સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતા હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. જેને લઇ હિન્દુ સેના દ્વારા તત્કાલ પગલાં લેવા કમિશનર  તેમજ ઉચ્ચ અધિકારીઓને માંગણી કરી છે. કાર્યવાહી ન થાય તો હિન્દુ સેના જાતે આગળ વધશે તેવી પણ રજૂઆત કરી છે. તેમ અશોક સોલંકી  (હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ, જામનગર, દ્વારકા, મોરબી)એ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh