Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટર્નઓવરની મર્યાદા વધારીને દોઢ કરોડ કરાઈઃ
નવી દિલ્હી તા. ૧૬: નવા નિયમોથી મૂળભૂત એફએસએસએઆઈ નોંધણી માટે વ્યવસાય ટર્નઓવર મર્યાદા વધારીને રૂપિયા ૧.પ કરોડ કરવામાં આવી હોવાથી ખાણીપીણીના નાના દુકાનદારોને રાહત થઈ છે.
સરકારે નોંધણી નિયમોમાં સુધારો કર્યો છે. જેનાથી ખાદ્ય અને પીણા વ્યવસાયોને રાહત મળશે. નવા નિયમોથી મૂળભૂત એફએસએસએઆઈ નોંધણી માટે વ્યવસાય ટર્નઓવર મર્યાદા વધારીને રૂપિયા ૧.પ મિલિયન સુધીના ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને હવે મૂળભૂત નોંધણી મળવવાની જરૂર પડશે. જુના નિયમોમાં આ મર્યાદા રૂપિયા ૧.ર મિલિયન હતી.
આ નાના વ્યવસાયોને કાગળકામની દૃષ્ટિએ નોંધપાત્ર રાહત આપશે. આ નિયમ ૧ એપ્રિલ ર૦ર૬ થી અમલમાં આવશે. વધુમાં સુધારેલા માળખા હેઠળ રૂપિયા પ૦ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને રાજ્ય લાયસન્સની જરૂર પડશે, જ્યારે રૂપિયા પ૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને કેન્દ્રિય લાયસન્સની જરૂર પડશે. આ લાઈસન્સિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઈવલીહૂડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ, ર૦૧૪ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા ટાઉન વેન્ડિંગ કમિટીઓ સાથે નોંધાયેલા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ હવે આપમેળે એફએસએસએઆઈ સાથે નોંધણી કરાવશે. વધુમાં નોંધણીની જરૂરિયાત દૂર થશે.
ટેકનોલોજી-આધારિત જોખમ-આધારિત નિરીક્ષણ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. આ નીતિ હેઠળ ખાદ્ય ઉત્પાદનની પ્રકૃતિ, ભૂતકાળના પાલન રેકોર્ડ, તૃતીય-પક્ષ ઓડિટ કામગીરી અને દેખરેખ માહિતીના આધારે નિરીક્ષણો કરવામાં આવશે. આનાથી બિનજરૂરી નિરીક્ષણો ઘટશે અને ઉચ્ચ ખાદ્ય સલામતી ધોરણો જાળવવામાં મદદ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial